- નિયમશાસ્ર્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું, એમ ન ધારો; હું નાશ કરવા તો નહિ, પણ પુણૅ કરવા આવ્યો છું
માત્થી 5:17
- માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોક્ની ખંડણીને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે. માત્થી
20:28
- કેમકે ગરીબોને સુવાતાઁ પ્રગટ કરવા સારુ, બંદીવાનોને છોડાવવા,
આંધળાઓને દેખતા કરવા અને ઘાયલ થયેલાઓને છોડાવવા સારું મારો અભિષેક કર્યો છે. લુક
4:18
- ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારુ બોલાવવા હું
આવ્યો છું. લુક 5:32
- કેમકે ખોવાએલું શોધવા તથા તારવા સારુ માણસનો દીકરો આવ્યો છે. લુક
19:10
- જગતનું તારણ થાય, તે માટે દેવે પોતાનાં દીકરાને જગતમાં મોકલ્યો છે. યોહાન
3:17
- દેવની ઈચ્છા પૄણઁ કરવાને આકાશથી ઊતર્યો છું કેમકે મારા બાપની ઈચ્છા એ છે, કે જે કોઇ દિકરાને જોઇને તેના પર વિશ્વવાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ. યોહાન 6:38-40
- જે જીવતી રોટલી આકાશમાંથી ઊતરી છે. તે હું
છું; જો કોઈ એ રોટલી ખાય તે સદા જીવતો રહેશે. યોહાન 6:51
- તમને જીવન મળે, અને તે ભરપુર મળે, માટે હું આવ્યો છું. યોહાન
10:10
- જે કોઇ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશરુપે આવ્યો છું. યોહાન
12:46
- સત્ય વિષે સાક્ષી આપવા હું જગતમાં આવ્યો છું. યોહાન 18:37
- શેતાનનાં કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો. યોહાનનો પહેલો પત્ર 3:8
- દેવે પોતાનો એક્નોએક પુત્રને જગતમાં મોકલ્યો,કે આપણે તેનાથી
જીવીએ, યોહાનનો પહેલો પત્ર 4:9
- દેવે પોતાનાં પુત્રને આપણાં પાપનું પ્રાયશ્રિત થવા માટે મોકલ્યો. યોહાનનો પહેલો પત્ર
4:10
"માર્ગ તથા સત્યા તથા જીવન હું છું; મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી" - પ્રભુ ઈસુ